ગાંધીધામમાં બંધ મકાનના તાળાં તોળી 52 હજારની ઘરફોડ ચોરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, March 18, 2020

ગાંધીધામમાં બંધ મકાનના તાળાં તોળી 52 હજારની ઘરફોડ ચોરી


ગાંધીધામના સેક્ટર સાત વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ને રૂપિયા 52 હજાર માલમત્તાની ચોરી કરીને લઇ ગયા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના સેક્ટર 7 પ્લોટ નંબર 81 માં રહેતા વિનોદભાઈ બુધાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 47 ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ને કબાટમાં રાખેલા ચાંદીના ઝાંઝર 3 તેમજ રોકડા રૂપિયા 27000 અને મંદિરમાં રાખેલી રોકડા રૂપિયા 7000 તથા ચાંદીના સિક્કા 4 બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 52200 માલમતા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા વિનોદભાઈ મહેશ્વરી પોતાનાની ગુજરી ગયા હતા ત્યાં ગયા હતા રાત્રિના પરત આવ્યા બાદ આ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તેમણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.