સામખિયાળીમાં
ખોટા દસ્તાવેજ આધાર પુરાવા ના આધારે 22 પ્લોટ
પચાવીને ઠગાઈ કરનાર પાંચ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામખયારી પોલીસ મથકે સહદેવભાઈ ખીમજીભાઈ આહીર (રહે.ભરૂચ)એ ફરિયાદ
નોંધાવી છે કે, પોતાના પિતા ખીમજીભાઈ આહીરની માનસિક સ્થિતિ બરોબર ન હોય વયોવૃદ્ધ
હોવાને કારણે આરોપી નાગજી ખીમજી આહીર, લાલજી
ખીમજી આહિર, ટપુ એમ રાઠોડ, એલ.કે. વરચંદ અને પ્રેમજી ખીમજી આહીરએ તેનો લાભ લઇ
સામગ્રીમાં આવેલ સર્વે નંબર 519 તથા સર્વે નંબર 520/2
બિનખેતીના 22 પ્લોટ
પચાવી પાડ્યા છે ખોટા પાવરનામા ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરીને પાવર ઓફ
એટર્ની દ્વારા બીપી મિલકતો ખસેડવામાં ખોટા દસ્તાવેજો ઉપયોગ કર્યો છે. આ અંગે
પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Monday, March 9, 2020
New
