ભદ્રેશ્વર માં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 6, 2020

ભદ્રેશ્વર માં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

મુન્દ્રા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભદ્રેશ્વર માં રહેતા જયદીપસિંહ ભરતસિંહ જાડેજા ઉંમર વર્ષ 27 પોતાના ઘરે અગમ્ય કારણોસર રૂમમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના મુરુ માં પિયર માં આવેલા હલુબાઈ અડ્રેમાન નોતિયાર ઉંમર વર્ષ 30 ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા ત્યારે ચૂલામાં અચાનક આગ લાગતા ભડકો થયો હતો અને આખા શરીરે દાઝી ગયા હતા પ્રથમ સારવાર જી કે જનરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.