સુરતના બળાત્કારના આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમકોર્ટે રોક લગાવી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 20, 2020

સુરતના બળાત્કારના આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમકોર્ટે રોક લગાવી


સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.મળતી માહિતી પ્રમાણે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનિલ યાદવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. જે વિકલ્પ બાદ ફરી સુપ્રીમમાં અરજી કરવાની રહેશે. દયા અરજી ફગાવવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે. ફાંસી અગાઉ જ આરોપી અનિલ યાદવે જેલ મારફત સરકાર પાસે કાનૂની મદદ માંગી હતી. સરકારે સુપ્રીમમાં અનિલ યાદવને કેસ લડવા એક વકીલની નિમણૂંક કરી છે. આરોપી અનિલના વકીલ અપરાજીતા સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે અનિલ પાસે 60 દિવસનો સમય છે અને તે પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. ચીફ જસ્ટીસે આ દલીલને માન્ય રાખી કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપ્યો હોવા છતા વોરન્ટ જાહેર જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ તયા પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. જજ આ પ્રકારના આદેશ કેવી પીતે આપી શકે છે ? ન્યાયિક પ્રક્રિયા આવી રીતે ન થઈ શકે. સેશન્સ કોર્ટે 31 જુલાઈ 2019ના રોજ અનિલ યાદવને ફાંસીની સજાની સજા જાહેર કરાઈ હતી. જેને હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ સવારે અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરાયું હતું. દરમિયાન આરોપી અનિલ યાદવ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં માં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે. આમ, આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પર રોક લગાવવામાં આવતા હાલ તો આ માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારનાર નરાધમને સમય મળ્યો છે.