મીઠીરોહરમાંથી 21.65 લાખના ચોખા ચોરનાર પાંચ ઝડપાઇ ગયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 10, 2020

મીઠીરોહરમાંથી 21.65 લાખના ચોખા ચોરનાર પાંચ ઝડપાઇ ગયા


ગાંધીધામ નજીક મીઠીરોહરના ગોડાઉનમાંથી રૂ.21,65,140ની કિંમતની ચોખાની 777 બોરી ચોરી થઇ હતી જેમાં બી-ડિવિઝન પોલીસે વોચ ગોઠવી આ ચોરી કરનાર પાંચ ઇસમોને પકડી લઇ રૂ.2,81,300 ની કિંમતની 97 બોરી કબજે કરી આ ચોરીનો ભેદ એક જ દિવસમાં ઉકેલી લીધો હતો. 

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,તા.7/1 ના સપનાનગરમાં રહેતા શૈલેન્દ્રકુમાર રામજી મિશ્રાએ ફરિયાદ નો઼ધાવી હતી કે મીઠીરોહરમાં તેમના ગોડાઉનમાંથી રૂ.21,65,140 ની કિંમતની ચોખાની 777 બોરીની ચોરી થઇ છે. આ ફરિયાદ બાદ પોલીસે સતત વોચ ગોઠવી બાતમીદારોએ આપેલી બાતમીના આધારે અંજારના તુણાના કુખ્યાત જુસબ ઉર્ફે મામો હુસેન બુચડ અને કાર્ગો પીએસએલ ઝુંપડામાં રહેતા વસીમખાન જમીરખાન શેખે પોતાના સાગરીતો સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો છે. આ બાતમીના આધારે બન્નેની અટક કરી પુછપરછમાં તેમણે આ ચોખા વેચી નાખ્યા હોવાનું જણાવતાં જેમને આ લોકોએ આ ચોરાઉ ચોખા વેચાણ કર્યા હતા તે પૈકી ભારતનગરના કલ્પેશ હરીલાલ ઠક્કર પાસેથી રૂ.2,81,300 ની કિંમતના ચોખાની 97 બોરી રીકવર કરી તેની પણ અટક કરી હતી. તો આ ચોરીમા઼ જે ઇસમોના વાહનોનો ઉપયોગ કરાયો હતો તે ખારીરોહરના ઓસમાણ ઇસ્માઇલ કુંભાર અને મદદરૂપ થયેલા રાજેશ અરજણ સથવારાને પણ પોલીસે પકડી વધુ પુછપરછ આદરી હતી.