સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર
મચાવી રહ્યો છે, ત્યારે
સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં સ્કુલ-કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય
કર્યો છે. જો કે, હજુ સુધી
ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો
અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે. જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને
પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના
વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક
ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે. 19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા
ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19
માર્ચથી
દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી 9 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય
નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ
વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.
Wednesday, March 18, 2020
New
